અસમાજિક તત્વો દ્વારા કરવામાં આવતી મારામારીના અનેક કિસ્સાઓ આપણે જોઈએ છીએ, ત્યારે રાજ્યમાં પંચાયતની સામાન્ય ચૂંટણીઓ તો પૂરી થઈ પરંતુ કોણે મને મત નથી આપ્યો તેવું મનમાં રાખીને મારામારીનો મામલો સામે આવ્યો છે. જેમાં જામનગર તાલુકાના જગા મેડી ગામના ખેડૂતને મત નહીં આપવાનું ભારે પડયું છે. જગા મેડી ગામના 61 વર્ષીય બુઝુર્ગે અવસરભાઈ પરસોત્તમભાઈ ભાલોડીયા નામના ખેડૂતને ચૂંટણીમાં મત નહી આપ્યા બાબતે વેર રાખી માર મારવામાં આવ્યો છે. અવસરભાઈ ભાલોડીયા કે જેઓએ ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યપદ માટે ઉભેલા આરોપી દિલીપ ગોહિલને મત આપ્યો ન હોવાથી તેમને માર મારવામાં આવ્યો છે તેવું જાણવા મળ્યું છે.
બોલાચાલી બાદ વૃદ્ધ પર લોખંડની પાઇપથી હુમલો













