જામનગરમાં એસ ટી નિગમની ગંભીર બેદરકારી સામે આવી છે. રાજ્યમાં આંતર પરીવહન માટે ઉપયોગમાં લેવાતી એસ ટી બસનો એક વીડિયો વાયરલ થયો છે. આ બસ ક્ષતિગ્રસ્ત હોવા છતાં તેને નિયત રૂટ પર મોકલવામાં આવી. જામનગરના એસ ટી બસ ડેપોમાંથી આ બસ મુસાફરોને લઈને તેના રૂટ પર જતી હતી. ત્યારે એક મુસાફર દ્વારા આ ક્ષતિગ્રસ્ત બસનો વીડિયો ઉતારવામાં આવ્યો. વીડિયોમાં દેખાય છે કે લોકો જીવના જોખમે બસમાં મુસાફરી કરી રહ્યા છે.
વીડિયો વાયરલ થતા તંત્ર એકશનમાં













