રાજકોટ–કાલાવડ રોડ પર આવેલ નિકાવા ગામ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી એસ.ટી. બસ અને રસ્તા કિનારે ઉભેલી બોરવેલ મશીન વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોમાંથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના સ્થળે સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.


કાલાવડ રોડ પર એસ.ટી. બસનો અકસ્માત

આ ઘટનાની જાણ થતા તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ, સ્થાનિક પોલીસ તથા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને નજીકની કાલાવડ સિવિલ હોસ્પિટલ તેમજ રાજકોટની મોટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રશાસન દ્વારા તાત્કાલિક તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતના ચોક્કસ કારણો હજુ સુધી બહાર આવ્યા નથી.

 બસ ચાલકનો કાબૂ ગુમાવતા અકસ્માત

પરંતુ પ્રાથમિક રીતે બસ ચાલકનો કાબૂ ગુમાવવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ હોવાથી પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ કરવા માટે વધારાની ટીમ બોલાવવામાં આવી હતી. આ બનાવને પગલે નિકાવા તથા આસપાસના વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું છે. હાલ આ ઘટનામાં કોઈ મોટી જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.


  • Follow us on: