ધ્રોલમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ કરવાના કેસમાં મામલતદાર કચેરી વિવાદોના વંટોળે ચડી છે. ધ્રોલ-જોડિયા રોડ પર ચામુંડા પ્લોટ પાસે આવેલા ખરાબામાં માલધારી વરવાભાઈ પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે. પરંતુ માલધારી વરવાભાઈ માંડાભાઈ ગોલતરને 20 વર્ષથી 12 વિઘા સરકારી ખરાબા જમીનમાં અનધિકૃત કબજો કરવા બદલ ધ્રોલ મામલતદાર દ્વારા 8,33,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
મામલતદાર કચેરીમાંથી બે જુદા-જુદા ઓર્ડર કેમ?













