જૂનાગઢના ધાર્મિક પ્રવાસન સ્થળો પર અનેક પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે હાલમાં ચોમાસાની સિઝનમાં ગિરનાર અને જૂનાગઢના અન્ય સ્થળો પર પ્રવાસીઓનો ઘસારો વધી રહ્યો છે. કેટલાક પ્રવાસીઓ જૂનાગઢના ગૌરક્ષક આશ્રમમાં જમવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતાં. આ દરમિયાન પ્રવાસીઓ અને સાધુઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. તે ઉપરાંત અન્નનો બગાડ નહીં કરવાની સૂચના આપતા ઝપાઝપી શરૂ થઈ હતી. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. જેમાં એક યાત્રિકને ઈજા પહોંચી હતી.


જમવાની લાઈનમાં ઉભા ની બાબતે થઈ હતી બબાલ

પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢના ગૌરક્ષક આશ્રમમાં કેટલાક પ્રવાસીઓ અને સાધુઓ વચ્ચે લાઈનમાં ઉભા રહેવા અંગે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ અન્નનો બગાડ નહીં કરવાની સૂચના આપતા જ મામલો બિચક્યો હતો અને મારામારી શરૂ થઈ હતી. પ્રવાસીઓ અને સાધુઓ વચ્ચેની મારામારી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પ્રવાસીઓએ અશોભનિય વર્તન કરતા સાઘુઓ ઉગ્ર બન્યા હતાં. સમગ્ર મામલે શેરનાથ બાપાના સેવકો વચ્ચે પડ્યા હતાં અને મામલો થાળે પાડ્યો હતો. યાત્રિકોએ સાધુઓ અને આશ્રમના સંચાલકોની માફી માંગી હતી.

મારામારી દરમિયાન એક યાત્રિક થયો ઘાયલ

ગૌરક્ષક આશ્રમમાં આવેલા પ્રવાસીઓએ લાઈનમાં ઉભા રહેવા અને અશોભનિય વર્તન કરતાં જ મામલો બિચક્યો હતો. જેમા સાધુઓ ગિન્નાયા હતાં. ત્યાર બાદ મારામારી શરૂ થતાં એક યાત્રિને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનામાં શેરનાથ બાપુના સેવકો દોડી આવ્યા હતાં. તેમણે સાધુઓ અને યાત્રિકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. પ્રવાસીઓએ અશોભનિય વર્તન કરતાં આશ્રમના સંચાલકો અને સાધુઓની માફી માગી હતી.


  • Follow us on: