જુનાગઢમાં ખનીજ માફીયાઓની દાદાગીરી સામે લોકોમાં રોષ ભરાયો છે. આપના OBC સેલના પ્રમુખ ઉપર હુમલો કરતા લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. પ્રમુખ પિયુષ પરમાર ઉપર ખનિજ માફીયાએ જીવલેણ હુમલો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. માળીયા નજીક ગળોદર ચોકડી પાસે ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ખનિજ માફીયા દ્વારા ગાડી ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસ સ્ટેશન બહાર બેસીને ખનિજ માફીયાઓ સામે વિરોધ નોંધાવ્યો છે.


પોલીસ સ્ટેશનમાં જ શરૂ કર્યા ધરણા

આપના ઓ.બી.સી.સેલના પ્રમુખ ઉપર ખનિજ માફીયાઓ દ્વારા હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પ્રમુખ પિયુષ પરમાર ઉપર જીવલેણ હુમલો કર્યાના આક્ષેપ લગાવવામાં આવ્યો છે. માળીયા નજીક ગળોદર ચોકડી પાસે આ ઘટના બની હતી જ્યાં ગાડી ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવ્યો છે. જે ઘયનાને લઈને આપના કાર્યકરો ધરણા ઉપર બની ગયા હતા. પોલીસ સ્ટેશનમાં જ ધરણા શરૂ કર્યા હતા. આ ભુમાફીયાઓ સામે રડક કાર્યવાહી કરવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

ખનિજ માફીયાઓ બન્યા બેફામ

આ પહેલા પણ ભાવનગરમાં ખનીજ માફીયાઓ બેફામ થયા હતા. જેમાં અધિકારીઓનું લોકેશન આપતા 5 સામે ફરિયાદ થઇ હતી. વોટ્સઅપ ગ્રુપ બનાવી એકબીજાને માહિતી આપતા હતા. તેમાં યુવરાજસિંહ વાઢેર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. 

  • Follow us on: