ગુજરાતમાં ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસ ચાલુ કરાઈ હતી. ત્યાં જ દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં આ ત્રણેય આતંકીઓનો હાથ હોવાની સુરક્ષા એજન્સીઓને કડી મળી હતી. જેના કારણે સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપી દેવાયું હતું. ગુજરાત પોલીસ એલર્ટ થઈને રાજ્યના અનેક વિસ્તારોમાં સઘન ચેકિંગ કરી રહી છે. આ દરમિયાન જૂનાગઢના માંગરોળમાંથી પોલીસે બે શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત કરી છે.


માંગરોળમાં બે શંકાસ્પદ કાશ્મીરીઓની પોલીસે અટકાયત કરી

જૂનાગઢમાં પોલીસે હોટેલ અને જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં માંગરોળમાં બે શંકાસ્પદ કાશ્મીરીઓની પોલીસે અટકાયત કરી છે. બંને સગા ભાઈઓ છે અને પૂંછના ફાગલા ગામના હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. જુનેદ અને નિયાસ મુકરાણીની પોલીસે અટકાયત કરી છે. પોલીસે બંને લોકોની પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેઓ મદરેસામાંથી દાન મેળવતા હોવાની માહિતી સામે આવી છે. તેઓ બે દિવસ પહેલા જ માંગરોળ આવ્યા હતાં.

ઉનામાં ત્રણ કાશ્મીરીઓની પુછપરછ કરાઈ

બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં કાશ્મીરથી આવેલા ત્રણ શંકાસ્પદોની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. ભીખ માંગવાનું કામ કરતાં ત્રણેય શખ્સોની પુછપરછ હાથ ધરાઈ હતી. પોલીસને પુછપરછમાં આ ત્રણેયની કોઈ શંકાસ્પદ ગતિવિધિ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. દીવ પોલીસે ગીર સોમનાથ પોલીસને સમગ્ર બાબતે માહિતી આપી હતી. પોલીસે આ ત્રણેયની તપાસ શરૂ કરી છે.


  • Follow us on: