વડોદરાના કરજણ નજીક નેશનલ હાઇવે 48 પર આવેલા કંડારી ગામ પાસે ઉડતી ધૂળની ડમરીઓથી સ્થાનિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે. આ હાઇવે નજીક આવેલ માનવ કેન્દ્ર અને સ્વામિનારાયણ ગુરુકુલ જેવી શાળાઓમાં અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે. આ સ્થળ પર જ્યાં જુઓ ત્યાં ધૂળનું સામ્રાજ્ય જોવા મળે છે.
હાઇવે પર ધૂળની ડમરીઓને લઈ સ્કૂલમાં ધૂળનું સામ્રાજ્ય
ભારે વાહનોની અવરજવરને કારણે ઉડતી ધૂળ સીધી શાળાના વર્ગખંડો અને મેદાનોમાં પ્રવેશી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ વારંવાર બીમાર પડી રહ્યા છે. શ્વસનતંત્રને લગતી બીમારીઓ અને આંખની બળતરા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. આ ઉપરાંત રસ્તાની આજુબાજુના છોડ અને વૃક્ષો પણ ધૂળથી ઢંકાઈ ગયા છે. જે પર્યાવરણ માટે પણ હાનિકારક છે.













