ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે રાત્રે કચ્છના રાપર નજીક ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી હતી. જ્યાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનો આંચકો રાત્રે 10:30 કલાકે અનુભવાયો હતો. રાત્રિના સમયે અચાનક ધરતી ધ્રૂજતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 20 કિમી દૂર
સદ્ભાગ્યે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી. ભૂકંપ વિજ્ઞાન સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર શહેરથી માત્ર 20 કિલોમીટર દૂર નોંધાયું છે. કેન્દ્રબિંદુ રાપરની નજીક હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આંચકો અનુભવાયો હોવાનું માનવામાં આવે છે.













