દરેક ગામમાં અલગ-અલગ તલાટી ફરજ બજાવતા હોય છે અને ગામના લોકોના સરકારી કામકાજની જવાબદારી તલાટીના શિરે હોય છે, ત્યારે તલાટી જો ગુલ્લી મારે તો ગામના લોકોના કામ કોણ કરશે, આ વાતની સરપંચોને પણ જાણ હોય છે તેમ છત્તા સરપંચ પણ આવા તલાટીઓને છાવરતી હોય છે, તપાસમાં તલાટી ગેરહાજર મળતા કાર્યવાહી કરવામાં આવી છે અને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે.


તલાટી હાજર ન રહેતા હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી

કચ્છમાં ગેરહાજર રહેવા બદલ 13 તલાટીને નોટિસ આપવામાં આવી છે, DDO અને TDOના માર્ગદર્શનમાં ખાસ ટિમો બનાવી આકસ્મિક તપાસ કરાઈ હતી અને આકસ્મિક તપાસમાં તલાટી ગેરહાજર જોવા મળતા કાર્યવાહી કરવામાં આવી છે, 13 તલાટીને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે, તલાટી સહમંત્રીઓ ફરજમાં હાજર નહિ રહેતા હોવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરવામાં આવી છે, યોગ્ય ખુલાસો નહીં કરવામાં આવેતો પગાર કપાત કરવા સહિતના પગલાં ભરવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી છે.

તલાટી ગેરહાજર રહેતા ગ્રામ્ય સ્તરે લોકોની કામગીરી અટકી ગઈ

ગ્રામ્ય સ્તરે તલાટીનું મહત્વન હોય છે અને તલાટી ધારે તે કામ કરી શકતો હોય છે, ગામના વિકાસમાં પણ તલાટીની ભૂમિકા મહત્વની રહેતી હોય છે, તલાટી કમ મંત્રીઓની ગેરહાજરીને કારણે લોકોને રોજબરોજના કામોમાં ભારે હાલાકી સહન કરવી પડતી હોય છે. તલાટીઓ ગુલ્લી મારે છે એ સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં તપાસ કરશો તો સામે આવશે કે કયા તલાટી આવે છે અને કયા તલાટી ગુલ્લી મારે છે, કચ્છમાં જે તલાટીને નોટિસ આપવામાં આવી છે તે તલાટી સરખો યોગ્ય જવાબ નહી આપે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.

  • Follow us on: