ગુજરાતના શિક્ષણ જગતને કલંક લગાવતી એક ઘટના ભુજના ભારતનગર પ્રાથમિક શાળા માંથી સામે આવી છે. સ્વતંત્ર શાળાનો દરજ્જો ન મળતા આજે વિધાર્થીઓએ સામૂહિક ડ્રોપ આઉટ કર્યો છે. ભારતનગરમાં વિધાર્થીઓની સંખ્યા વધુ હોવાના કારણે વર્ષ 2019માં અહીં ભારતનગર પેટા શાળા શરૂ કરવામાં આવી હતી. છેલ્લા છ વર્ષથી વાલીઓ સ્વતંત્ર શાળાના દરજ્જા માટે માંગણી કરી રહ્યા હતા. પરંતુ અનેક વખતની રજૂઆતો બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નહોતી. પરિણામે આજે 154 જેટલા વિદ્યાર્થીઓ પોતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કઢાવીને સામૂહિક ડ્રોપ આઉટ કર્યું હતું.
અનેક વાર રજૂઆતો કર્યા છતાં કોઈ ઉકેલ ન આવતા વાલીઓ રોષે ભરાયા













