શિક્ષકો વગર ચાલતી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટે અત્યાર સુધી ઘણા વિરોધ પ્રદર્શનો થયા છે. પરંતુ કચ્છના મુન્દ્રા તલુકા પંચાયતના પ્રાંગણમાં એનએસયુઆઈ દ્વારા એક અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. એનએસયુઆઈના કાર્યકરો દ્વારા મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં હવન કરીને અનોખો વિરાધ નોંધાવ્યો છે. શિક્ષકોની ભરતી ન કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો.
હોદ્દેદારોને સદબુદ્ધી અપાવવા માટે કર્યો હવન













