કચ્છના ગાંધીધામ નજીક આવેલા મીઠીરોહર ગમે લૂંટના ઈરાદે એક વેપારી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવતા લૂંટારા પોતાના ઈરાદામાં નિષ્ફળ રહીને ફરાર થઇ ગયા હતા. પોલીસે ઘાયલ વેપારીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


કચ્છના ગાંધીધામમાં લૂંટના ઇરાદે હુમલો

મળત જાણકરી અનુસાર, મીઠીરોહર ગામમાં એક વેપારી પોતાની દિનચર્યા મુજબ કામ કરી રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો લૂંટના ઈરાદે તેમના પર તૂટી પડ્યા હતા. લૂંટારાઓએ વેપારી પર છરી વડે હુમલો કર્યો જેના કારણે વેપારીને ઈજાઓ પહોંચી હતી. વેપારીની બુમો સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોને એકઠા થતા જોઇને લૂંટારાઓ ગભરાઈ ગયા અને પોતાનો લૂંટનો ઈરાદો પડતો મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા.

પોલીસે ઘાયલ વેપારીને હોસ્પિટલ ખસેડ્યો

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો મીઠીરોહર ગમે પહોંચી ગયો હતો. પોલીસે ઘાયલ વેપારીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ વેપારીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે લૂંટારાઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આસપાસના CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે.


  • Follow us on: