અમદાવાદ શહેરમાં બુધવારે ગુમ થયેલા પાલડી વિસ્તારની દીવાન બલ્લુભાઇ સ્કૂલના છ સગીર વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા સલામત રીતે શોધી કાઢવામાં આવ્યા છે. તમામ સગીર ઇન્સ્ટાગ્રામમાં માથાકૂટ થતા ડરના માર્યા ભાગ્યા હતા


સંબંધીના ઘરેથી મળી આવ્યા

આ તમામ વિદ્યાર્થીઓને વેજલપુર વિસ્તારમાં તેમના એક સંબંધીના ઘરેથી મળી આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

બુધવારે અચાનક ગુમ થઈ ગયા

પ્રાપ્ત માહિતી મુજબ, સ્કૂલના આ વિદ્યાર્થીઓ બુધવારે અચાનક ગુમ થઈ ગયા હતા, જેને પગલે પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. મામલાની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓમાંથી એક પાસે મોબાઇલ ફોન હતો

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓમાંથી એક પાસે મોબાઇલ ફોન હતો, જેના આધારે પોલીસને તેમની ભાળ મળી હતી.

ઇન્સ્ટાગ્રામ પર થયેલી માથાકૂટ બાદ ડરના માર્યા ઘરેથી ભાગી ગયા

પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર થયેલી માથાકૂટ બાદ સ્કૂલ સંચાલકો દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એવી આશંકાથી તેઓ ડરના માર્યા ઘરેથી ભાગી ગયા હતા.

 પરિવારજનોને સોંપી દીધા

પોલીસે તમામ વિદ્યાર્થીઓને શોધી કાઢી પરિવારજનોને સોંપી દીધા છે.


આ પણ વાંચો---    Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

  • Follow us on: