અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં વધુ એક અશાંત ધારાનો વિવાદ સામે આવ્યો છે.. અશાંત ધારા લાગુ વિસ્તારમાં 22 માળના બિલ્ડિંગનું બાંધકામ શરૂ થતાં સમગ્ર મામલે વિવાદ ઊભો થયો છે.
તંત્ર દ્વારા બાંધકામને મંજૂરી કેવી રીતે આપવામાં આવી
સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકરે દાવો કર્યો છે કે તેઓ ચૂંટાયા પહેલા જ આ બિલ્ડિંગનો પ્લાન પાસ થયો હતો. જોકે, અશાંત ધારાનો ભંગ થતો હોવા છતાં તંત્ર દ્વારા બાંધકામને મંજૂરી કેવી રીતે આપવામાં આવી તે મુદ્દે સવાલો ઊઠી રહ્યા છે.













