અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાંથી ખેડૂતોની ચિંતામાં વધારો કરતા સમાચાર સામે આવ્યા છે. દેત્રોજ તાલુકાના કોઇન્તિયા ગામમાં આવેલી માઇનોર કેનાલ અચાનક ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. આ પાણી કેનાલની આસપાસ આવેલા ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાની ભીતિ સેવાઈ રહી છે.
ખેતરો બન્યા બેટ, ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
ઘટનાની મળતી માહિતી અનુસાર, કોઇન્તિયા ગામની માઇનોર કેનાલમાં પાણીની આવક વધવાને કારણે અથવા અન્ય ટેકનિકલ ખામીને લીધે કેનાલ ઓવરફ્લો થઈ હતી. કેનાલના ધસમસતા પાણી સીધા ખેતરોમાં ઘૂસી ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, 3 વીઘાથી વધુ જમીનમાં કેનાલના પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે વાવેતર કરેલા પાક પર પાણી ફરી વળ્યું છે, જેનાથી ખેડૂતોને આર્થિક ફટકો પડવાની શક્યતા છે.













