જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘાટલોડિયા વિસ્તારના નાગરિકો માટે સરકારી સેવાઓ વધુ સુગમ બનાવવાનું આયોજન.


નવનિર્મિત થનાર ભવનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદના ઘાટલોડિયા ખાતે મહેસૂલ વિભાગની સરકારી ચાવડી તથા અન્ન અને નાગરિક પુરવઠા કચેરીનો નવનિર્મિત થનાર ભવનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્રની આ નવીન કચેરીઓના નિર્માણથી ઘાટલોડિયા વિસ્તારના નાગરિકોને સરકારી સેવાઓ વધુ સુગમતાથી અને એક જ સ્થળે ઉપલબ્ધ થશે. આ પ્રસંગે અમદાવાદના કલેકટર સુજીત કુમાર, મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્યો, સ્થાનિક કોર્પોરેટરો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Ahmedabad News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોડકદેવ ખાતે નવનિર્મિત સબ-ઝોનલ ઓફિસનું લોકાર્પણ કરાયું


  • Follow us on: