અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલા નમકીન બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા ચાર લોકોના સારવાર દરમિયાન મોત થતાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનાને લઈને માધુપુરે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


નમકીન બનાવતી એક ફેક્ટરીમાં રાત્રિના સમયે અચાનક આગ લાગી

મળતી માહિતી મુજબ અમદાવાદમાં આવેલી નમકીન બનાવતી એક ફેક્ટરીમાં રાત્રિના સમયે અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે ફેક્ટરીમાં કામ કરતા કેટલાક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટના બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન ચારેય લોકોના મોત થયા

આગની ઘટનામાં ગંભીર રીતે દાઝેલા ચાર લોકો છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જોકે તેમની હાલત ગંભીર હોવાને કારણે આખરે સારવાર દરમિયાન ચારેય લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે શોકની લાગણી ફેલાવી છે.

પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો

માધુપુરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને અન્ય જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો---    Gandhinagar : રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, વર્તમાન બોર્ડની મુદત પુરી

  • Follow us on: