અમદાવાદમાં આગામી માર્ચ મહિનામાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા જ મતદાન મથકને લઈને વકીલોમાં રોષ ફેલાયો છે. પાંચ હજાર જેટલા વકીલોએ સહીઓ કરીને આવેદન આપ્યું હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં હોવાનું વકીલ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાવાની છે
અમદાવાદમાં આગામી 6 માર્ચ 2026ના રોજ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં હાઈકોર્ટ સિવાયના વકીલો માટે મતદાન માટેનું સ્થળ યુનિવર્સિટી કેમ્પસમાં રાખવામાં આવ્યું છે. જે અંગે તમામ વકીલોએ મતદાન મથક બદલવા માટે વિનંતી કરી હતી. આ ઉપરાંત આશરે પાંચ હજાર જેટલા વકીલો દ્વારા સહીઓ કરીને એક આવેદન પત્ર આપવા છતાં ચૂંટણી કમિશનર દ્વારા આ મતદાન મથક બદલવા અંગે આનાકાની કરવામાં આવી હોવાનું વકીલોએ જણાવ્યું હતું.













