પ્રેમ પ્રકરણમાં મનિષ સુથારની હત્યા કરાઇ, અને અશ્વિન ઝાલા નામના શખ્સે આ હત્યા કરી હોવાની વાત સામે આવી છે, ગતરાત્રીના 11 વાગ્યાની આસપાસ આ હત્યા થઈ હોવાની વાત સામે આવી છે, આરોપીએ મોઢા, ગળા અને છાતીના ભાગે છરીના ઘા માર્યા હોવાની વાત સામે આવી છે.


વટવા જીઆઈડીસીના ત્રિકમપુરા કેનાલ પાસે યુવકની કરાઇ હત્યા

વટવા જીઆઈડીસીના ત્રિકમપુરા કેનાલ પાસે યુવકની કરાઇ હત્યા અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અશ્વિન ઝાલાએ હત્યા કરી છે, મૃતકની બહેનને આરોપી સાથે પ્રેમસંબંધ હતો અને આરોપી યુવતીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો તેને લઈ અવાર-નવાર ઝઘડો થતો હતો અને તેમાં હત્યાની ઘટનાને અંજામ અપાયો છે, વટવા GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં હત્યા

ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે, જેની સાથે પ્રેમસબંધ હતો તે યુવતીની પણ પૂછપરછ કરાઈ છે, પોલીસે આરોપીને શોધવા માટે અલગ-અલગ ટીમો પણ બનાવી છે, તો ટૂંક સમયમાં પોલીસની પકડમાં આરોપી આવી જશે તેવું પોલીસના સૂત્રોનું કહેવું છે.


આ પણ વાંચો : સુરતમાં મહિલા તબીબના આપઘાત કેસમાં મોટો ખુલાસો, મંગેતર સાથે નાની-નાની બાબતે ઝઘડો થતો હતો અને 19 ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા


  • Follow us on: