પાટનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. રોગચાળાને નિયંત્રિત કરવા અને નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમો પર ત્રાટકવાનું શરૂ કરાયું છે. ખાસ કરીને બિન-આરોગ્યપ્રદ રીતે ચાલતી પાણીપુરીની લારીઓ સામે તંત્રએ સપાટો બોલાવ્યો છે.
આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી
છેલ્લા બે દિવસથી ચાલી રહેલી આ વિશેષ ઝુંબેશમાં તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન સ્વચ્છતાના ધોરણો જાળવવામાં નિષ્ફળ રહેલી અને દૂષિત પાણીનો ઉપયોગ કરતી 16 જેટલી પાણીપુરીની લારીઓ સ્થળ પરથી જપ્ત કરવામાં આવી છે. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે ઘણી લારીઓ પર ખુલ્લામાં ખોરાક રાખવામાં આવતો હતો અને પાણીની ગુણવત્તા અત્યંત નબળી હતી, જે ટાઇફોઇડ ફેલાવવાનું મુખ્ય કારણ બની શકે છે.













