અમદાવાદ શહેરમાં ગુનાખોરી ડામવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે પોલીસ પ્રશાસને વર્ષ 2025 દરમિયાન અભૂતપૂર્વ કામગીરી કરી છે. શહેર પોલીસના આંકડા મુજબ, વર્ષ દરમિયાન કુલ 1107 અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આ આક્રમક અભિગમને કારણે ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને શહેરની પીસીબી (PCB) શાખાએ બાતમીના આધારે 400 જેટલા કેસ નોંધી 407 આરોપીઓની ધરપકડ કરી છે, જે પોલીસની સતર્કતા દર્શાવે છે.


શાંતિ ડહોળનારા તત્વોની ખેર નહીં

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રહાર કરતા પોલીસે પ્રોહિબિશન અને જુગાર ધારા હેઠળ પણ મોટી સફળતા મેળવી છે. પ્રોહિબિશનના કેસોમાં પોલીસે કુલ 5.74 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે જુગારધારા હેઠળ 70 કેસ નોંધી 245 શખ્સોને ઝડપી પાડ્યા છે. પ્રોહિબિશન અને જુગાર એમ બંને મળીને કુલ 6 કરોડ રૂપિયાથી વધુની મતા જપ્ત કરવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીને કારણે ગેરકાયદેસર ધંધા કરતા તત્વોની કમર તૂટી ગઈ છે અને શહેરમાં સુરક્ષાનો માહોલ વધુ સુદ્રઢ બન્યો છે.

આ પણ વાંચો : Ahmedabad માં બ્રિજની હાલત કથળી, સુભાષબ્રિજ બાદ હવે દધિચી બ્રિજમાં પણ સળિયા દેખાયા



  • Follow us on: