કોમનવેલ્થ ગેમ્સની યજમાનીને લઇને અમદાવાદ જોરોશોરોથી તૈયારીમાં જોડાઇ ગયુ છે. જેને લઇને આવતીકાલે એટલે કે 7 જાન્યુઆરીએ IOAની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયા પણ હાજર રહેશે.


કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે મક્કમ

રમતગમત ક્ષેત્રે વૈશ્વિક ફલક પર ભારતનું નામ રોશન કરવા માટે હવે ગુજરાતનું અમદાવાદ શહેર તૈયાર છે. ભારત આગામી વર્ષોમાં મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, ખાસ કરીને કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે મક્કમ છે. આ દિશામાં એક મહત્વ પૂર્ણ પગલું ઉઠાવતા 7 જાન્યુઆરીએ અમદાવાદમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક મળવા જઇ રહી છે.

આવતીકાલે IOAની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક મળશે

મળતી માહિતી મુજબ અમદાવાદમાં આવેલા રાજપથ ક્લબ ખાતે આવતીકાલે IOAની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક મળશે.આ બેઠકમાં દેશના ટોચના રમતગમત વહીવટકર્તાઓ ભેગા મળીને ભવિષ્યના રોડમેપને લઇને ચર્ચા કરશે. આ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ મહત્વની ગણાતી AGM એટલે કે એન્યુઅલ જનર મીટિંગ યોજાશે.

ભારતની દાવેદારી મજબૂત કરવા ચર્ચા કરાશે

આગામી 9મી જાન્યુઆરીએ IOAની AGM બેઠક યોજાવાની છે. જેમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવા માટેની તૈયારીઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની દાવેદારી મજબૂત કરવા માટે ગહન ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ખાસ હાજર રહેશે.આ બેઠક માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ ભારતના 'સ્પોર્ટ્સ હબ' બનવાના સપના તરફનું એક મજબૂત ડગલું છે. રમતગમત પ્રેમીઓની નજર હવે રાજપથ ક્લબમાં લેવાનારા નિર્ણયો પર ટકેલી છે.

આ પણ વાંચોઃ  ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન ફેઝ-1 અને 2નું કામ પૂર્ણ, PM નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર રૂટની શરૂઆત કરાવશે


  • Follow us on: