અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમનું પુનઃનિર્માણ કાર્ય 12 માર્ચ 2024થી શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યની શરૂઆત કરાવી હતી. આ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં આશ્રમને 55 એકરમાં વ્યાપી 1200 કરોડના ખર્ચે નવી દિશા આપવામાં આવશે.


જુના મકાનોના રિસ્ટોરેશન સાથે જ સાદગી અને આશ્રમના અધિકૃત સ્થાપત્યોને જાળવી રખાશે

પુનઃનિર્માણમાં જુના મકાનોના રિસ્ટોરેશન સાથે જ સાદગી અને આશ્રમના અધિકૃત સ્થાપત્યોને જાળવવાની વિશેષ કાળજી લેવામાં આવશે. આ સાથે વ્યાખ્યાન કેન્દ્ર, ફૂડ કોર્ટ અને અન્ય આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવશે, જેથી આશ્રમ પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બને.

ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારવા પ્રયાસો

આ રિ-ડેવલપમેન્ટનું મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારવા પ્રયાસ. આગામી પેઢીઓને ગાંધીજીના સિદ્ધાંતો અને જીવનશૈલી સમજાવવા માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિશ્વસ્તરીય સ્મારક બની જશે

અનુભવી આર્કિટેક્ટ અને ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર, પુનઃનિર્માણ પછી સાબરમતી આશ્રમ માત્ર એક ઐતિહાસિક સ્થળ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિશ્વસ્તરીય સ્મારક બની જશે.


આ પણ વાંચો----    Ahmedabad : જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદની મુલાકાતે, મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય યોજશે બેઠક

  • Follow us on: