ગુજરાતમાં બાર કાઉન્સિલની ચૂંટણીમાં કમિશ્નરની બેદરકારીના આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ ખાતે વકીલોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. હવે આ ચૂંટણીનો વિવાદ વકરી રહ્યો છે. મતગણતરી થાય તે પહેલા જ વિવાદ વધી રહ્યો છે. જેના કારણે આજે મતગણતરી નહીં થાય તેવી વિગતો સામે આવી છે. ચૂંટણી કમિશ્નરો પણ રાજીનામા આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
બીસીજીની મત ગણતરી પહેલા જ વિવાદ
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ચૂંટણી કમિશ્નરો સામે આક્ષેપ થતાં વિવાદ વકર્યો છે. 12 જેટલા વકીલો સામે ચૂંટણી કમિશ્નરે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં અરજી કરી છે. મતદાન બાદ મત પેટીઓ લઈ જતી વખતે હોબાળો થયો હતો. ત્યાર બાદ આ ફરિયાદ કરવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં કમિશ્નરની બેદરકારી હોવાનો આરોપ વકીલો દ્વારા લગાવાયો હતો. બેલેટ પેપરની પેટી ખુલ્લી મૂકયાનો વકીલોએ આક્ષેપ કર્યો હતો.













