અમદાવાદ એરપોર્ટ પર વાદળછાયું વાતાવરણ રહેતા ફ્લાઇટ શિડ્યુઅલ ખોરવાવાની સ્થિતિ સર્જાઈ છે. આજે અમદાવાદ આવતી અને જતી કુલ 25 જેટલી ફ્લાઇટો મોડી પડતાં હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વાદળછાયું વાતાવરણ રહેતા ફ્લાઇટ શિડ્યુઅલ ખોરવાયા
પ્રાપ્ત માહિતી મુજબ આગ્રા, ચંદીગઢ, ભુવનેશ્વર, દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોની ફ્લાઇટો મોડેથી ઉડાન ભરી હતી. ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા (વિઝિબિલિટી)ના કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર પડી હોવાનું જાણવા મળ્યું છે.













