ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વેરા નિરીક્ષક (STI) ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની મુખ્ય પરીક્ષાનું આયોજન આવતીકાલે એટલે કે 22 માર્ચના રોજ કરવામાં આવ્યું છે. રાજ્યના બે મુખ્ય શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં આ મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે.


323 જગ્યાઓ માટે રસાકસી

રાજ્ય સરકારના જીએસટી વિભાગમાં વેરા નિરીક્ષકની કુલ 323 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગાઉ લેવાયેલી પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ થયેલા કુલ 5783 ઉમેદવારો હવે આ મુખ્ય પરીક્ષામાં પોતાની કિસ્મત અજમાવશે. આ પરીક્ષા ઉમેદવારોના લાંબા સમયના પરિશ્રમ અને કારકિર્દી માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.

32 કેન્દ્રો પર સજ્જ તૈયારીઓ

પરીક્ષાના સુચારુ સંચાલન માટે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં કુલ 32 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. GPSC દ્વારા તમામ કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને ગેરરીતિ રોકવા માટે સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉમેદવારોને સમયસર કેન્દ્ર પર પહોંચવા અને પરીક્ષાના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

22 માર્ચની આ પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉમેદવારોમાં પણ પરીક્ષાને લઈને ભારે ઉત્સાહ અને તૈયારીઓ જોવા મળી રહી છે.


આ પણ વાંચો - Suratમાં CM ભૂપેન્દ્ર પટેલની 'સરપ્રાઈઝ' એન્ટ્રી: મનપા ચૂંટણી અંગે 90 હોદ્દેદારો સાથે સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક


  • Follow us on: