ગુજરાતમાં નાર્કોટિક્સ વિરૂદ્ધ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે રાજ્યમાં કૂલ છ ઝોન બનાવવામાં આવ્યા છે. એન્ટી નાર્કોટિક્સ ફોર્સમાં 213 કર્મચારીઓ અને અધિકારીની ફાળવણી કરવામાં આવી છે.


213 કર્મચારીઓ અને અધિકારીઓની ફાળવણી

એન્ટી નાર્કોટિક્સ ફોર્સના એસપી લોકેશ યાદવે કહ્યું હતું કે, ગુજરાતમાં નાર્કોટિક્સ સામે કડક કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે રાજ્યમાં કૂલ છ ઝોન બનાવવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર અને બોર્ડર રેન્જના યુનિટ સાથે આ ઝોન કાર્યરત થશે. રાજકોટ અને વડોદરા બાદ હવે અમદાવાદમાં યુનિટની શરૂઆત કરાઈ છે. એન્ટી નાર્કોટિક્સ યુનિટમાં 213 કર્મચારીઓ અને અધિકારીઓની ફાળવણી કરવામાં આવી છે.

રાજ્યમાં નાર્કોટિક્સના 1058 ગુના નોંધાયા

રાજ્યમાં વર્ષ 2025માં રાજ્યમાં નાર્કોટિક્સના 1058 ગુના નોંધાયા છે. વર્ષ 2025માં 2248 કરોડની કિંમતનું 20995 કિલો ડ્રગ્સ પકડાયું છે. એન્ટી નાર્કોટિક્સ ફોર્સ માત્ર નશાના દૂષણને નાથવા માટે કાર્યવાહી કરશે. જે માટે એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. 1908 નંબર અને 9904001908 વોટ્સેપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ Kheda News: નડિયાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ


  • Follow us on: