અમદાવાદ ગ્રામ્યના વિરમગામ શહેરમાં શનિવારના રોજ 'વીર સાવરકર વસ્તી' દ્વારા સમસ્ત હિન્દુ સમાજને એકતાંતણે બાંધવા માટે એક ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિરમગામના મુખ્ય માર્ગો પર યુવાનો દ્વારા વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી, જેના કારણે સમગ્ર શહેરમાં ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.


સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિ

વિરમગામ શહેરના ઐતિહાસિક પરકોટા વિસ્તારમાં આ હિન્દુ સંમેલન યોજાયું હતું. આ અવસરે વિવિધ મઠ-મંદિરોના સાધુ-સંતો અને પ્રખર વક્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. મંચ પરથી સંતોએ સમાજમાં એકતા, રાષ્ટ્રવાદ અને ધાર્મિક જાગૃતિ અંગે પ્રેરક ઉદબોધનો આપ્યા હતા. વીર સાવરકર વસ્તી આયોજિત આ કાર્યક્રમમાં હિન્દુ સમાજના વિવિધ સ્તરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

બાઈક રેલીએ આકર્ષણ જમાવ્યું

સંમેલન પૂર્વે શહેરના રાજમાર્ગો પર નીકળેલી બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો કેસરીયા સાફા અને ધ્વજ સાથે જોડાયા હતા. 'જય શ્રી રામ' અને 'વીર સાવરકર અમર રહો'ના નાદથી વિરમગામની ગલીઓ ગુંજી ઉઠી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ સંગઠિત સમાજનું નિર્માણ કરવાનો અને રાષ્ટ્રીય વિચારધારાને પ્રોત્સાહન આપવાનો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વીર સાવરકર વસ્તીના કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સંમેલનના સ્થળે લોકોની ભારે ભીડને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જાળવવામાં આવ્યો હતો.


આ પણ વાંચો - Ahmedabad News: પ્રેમ પ્રકરણમાં યુવકે પંખે લટકી કરી આત્મહત્યા, મિત્રો પહોંચે તે પહેલા તોડ્યો દમ


  • Follow us on: