અમદાવાદના પૂર્વ વિસ્તાર ગણાતા ગોમતીપુરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. સામાન્ય ઝઘડાની અદાવતમાં તલવાર જેવા ધારદાર હથિયારો વડે એક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ શહેરની શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.


6 હુમલાખોર સામે નોંધાઇ ફરિયાદ

અબરાર શાહ અને તેમના પરિવાર પર છ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ "મારા ભાઈ સાથે ઝઘડો કેમ કર્યો?" તેમ કહી ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના માથાના ભાગે તલવારના ઘા ઝીંક્યા હતા. હુમલો કરનારાઓમાં ફૈઝલ, અફસર અને મેરાજ સહિત કુલ છ લોકોના નામ સામે આવ્યા છે. આ આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું અને વિસ્તારમાં ડરનો માહોલ ફેલાવતા હોવાનું જાણવા મળ્યું છે.

હુમલો કરનાર આરોપીઓને રાઉન્ડઅપ કરાયા

હુમલો કર્યા બાદ પણ આરોપીઓ શાંત પડ્યા ન હતા અને ફરિયાદી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જોકે, ગોમતીપુર પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી છે. પોલીસે મુખ્ય આરોપીઓને રાઉન્ડઅપ (Round-up) કરી લીધા છે અને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: