અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં મહાદેવની રેલી દરમિયાન ધક્કામુક્કી થતા એક યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.


યુવક પર છરીના ઘા ઝીંક્યા

માહિતી મુજબ, રેલી દરમિયાન અચાનક થયેલી ધક્કામુક્કી બાદ વાત ઉગ્ર બની ગઈ હતી. ઉશ્કેરાયેલા ટોળામાંથી કેટલાક લોકોએ યુવક પર છરીના ઘા ઝીંક્યા હતા. હુમલામાં યુવક લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

પોલીસે બે હુમલાખોરો સામે ગુનો નોંધ્યો

પોલીસે પ્રાથમિક તપાસ બાદ બે હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે અને તેમની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો----      Amreli : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપ્યું, તપાસ દરમિયાન યુવરાજસિંહની ગાડી પર હુમલો કરાયો હોવાનો આરોપ

  • Follow us on: