દાંતાના પાલડિયા ગામમાં વન વિભાગની જમીનને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં આજે (13 ડિસેમ્બર) બપોર બાદ પરિસ્થિતિ અચાનક તંગ બની ગઈ હતી. સ્થાનિકોના ઉશ્કેરાયેલા ટોળાએ વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ પર ભીષણ પથ્થરમારો અને તીર-કામઠાથી હુમલો કર્યો. આ ઘટનામાં કુલ 47 અધિકારી અને કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
અચાનક જ 500 લોકોનું ટોળુ ધસી આવ્યું હતું
માહિતી અનુસાર, પાડલીયા ગામમાં વન વિભાગની જગ્યામાં ફોરેસ્ટ વિભાગ, રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગ ટ્રી પ્લાન્ટેશન કરી રહી હતી ત્યારે અચાનક જ 500 લોકોનું ટોળુ ધસી આવ્યું હતું અને તીર કામઠા તથા ગોફણ વડે પથ્થર મારવાના શરુ કરી દીધા હતા.













