અંબાજી નજીક ગબ્બર રોડ પર આવેલ પાડલીયા ગામમાં ફોરેસ્ટની જમીન બાબતે હંગામો થયા બાદ ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. ઉશ્કેરાયેલા ટોળાએ વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ પર ભીષણ પથ્થરમારો અને તીર-કામઠાથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં કુલ 47 અધિકારી અને કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.આ ઘટના બાદ અંબાજીનું પાલડિયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
પાડલીયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
પોલીસે ગઈકાલની ઘટના બાદ આજે અંબાજીના પાલડિયા ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે એફએસએલને સાથે રાખીને ઘટનાનું પંચનામું કર્યું હતું. વનવિભાગની જમીન મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ગઈ કાલે બાબલ થઈ તે પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. ગ્રામજનો સાથે વન વિભાગ અને પોલીસે બેઠક કરી હતી. પોલીસે આ ઘટનામાં 500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં પોલીસ અને વન વિભાગના 47 અધિકારીઓ ઈજાગ્રસ્ત થયાં છે. પોલીસનો કાફલો વજ્ર સહિતના વાહનો અને હથિયારો સાથે પાડલિયા ગામ જવા રવાના થયો છે.













