અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાની દુખદ ઘટના સામે આવી છે. ધારી તાલુકાના માણાવાવ ગામની સીમ વિસ્તારમાં સિંહણના હુમલામાં પાંચ વર્ષીય બાળકનું કરુણ મોત થયું છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે.
અચાનક એક સિંહણે બાળક પર હુમલો કર્યો
માહિતી મુજબ માણાવાવ ગામની સીમમાં રામકુભાઈ વલકુભાઈ વાળાની વાડીમાં મજૂરી કામ કરતા ઈશ્વરભાઈ કટારાનો પાંચ વર્ષીય દીકરો ધવલ રમતો હતો. આ દરમિયાન અચાનક એક સિંહણે બાળક પર હુમલો કર્યો હતો. સિંહણના હુમલાથી બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું હતું













