રાજ્યમાં એસટી બસ સાથે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો તેમ જણાઈ રહ્યું છે. આ વચ્ચે અમરેલીમાં એક એસટી બસને અકસ્માત નડ્યો છે. જ્યાં એક બેફામ ટ્રક ચાલકે એસટી બસને ટક્કર મારી હતી. જોકે એસટી બસ ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
ટ્રકે ST બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો
ઘટનાની મળતી વિગતો અનુસાર, અમરેલીમાં જેતપુર-વડિયા-બગદાણા બસને અકસ્માત નડ્યો હતો. અમરેલીના આંબેડકરનગરની ગોળાઇમાં પૂરઝડપે આવી રહેલા ટ્રકે ST બસને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં મુસાફરોનો આબાચ બચાવ થયો છે. પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે એસટી બસને ડ્રાઈવર સાઈડમાં ટક્કર મારી હતી.













