આણંદ જિલ્લામાં ઉનાળાની ઋતુ દરમિયાન સર્જાતી હીટવેવના કારણે નાગરિકોને લૂ લાગવાની અને તેના પરિણામે સ્વાસ્થ્ય બગડવાની શક્યતા વધી જાય છે. હીટવેવથી માનસિક તાણ થાય છે અને મૃત્યુની પણ સંભાવના રહે છે. હીટવેવ દરમ્યાન તેની અસરને ઓછી કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામા આવી છે. જેમા નીચે મુજબના સહાયક પગલાં લેવા જિલ્લાના નાગરિકોને જણાવાયું છે.


બુટ અને ચંપલનો ઉપયોગ ફરજીયાત કરવો

તરસ ના લાગી હોય તો પણ થોડા થોડા સમયે પાણી પીતા રહેવું.તેમજ ઓરલરી હાઈડ્રેશન સોલ્યુશન (ORS) નો ઉપયોગ કરવો અને ઘરે બનાવેલ પીણાં જેવાં કે લસ્સી, લીંબુ પાણી, છાશ વગેરેનો વધુ ઉપયોગ કરવો. હીટવેવ દરમ્યાન હવામાનની આગાહી જાણવા માટે નિરંતર રેડિયો સાંભળવો, ટીવી જોવી અને સમાચાર પત્ર જોતા રહેવું. હવામાનની નવીનતમ અપડેટ ભારતીય હવામાન વિભાગ (IMD)ની વેબસાઈટ https://mausam.imd.gov.in પરથી મેળવો. જરૂર પડ્યે ઘરની બહાર જવાનુ થાય ત્યારે સૂર્યપ્રકાશનાં સીધા સંપર્કમાં આવવા દરમિયાન ચશ્મા, છત્રી, ટોપી, બુટ અને ચંપલનો ઉપયોગ ફરજીયાત કરવો તથા પગમાં ચંપલ અથવા બુટ પહેરો.કારણવશ બહાર જવાનું થાય ત્યારે મુસાફરી દરમ્યાન સાથે પીવાનું પાણી અચૂક રાખવું.

હળવા રંગના કપડાં પહેરવા

પાણીનું પ્રમાણ વધુ હોય તેવા તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ,અનાનસ, કાકડી, લેટીસ અથવા અન્ય સ્થાનિક ઉપલબ્ધ મોસમી ફળો અને શાકભાજી ખાવા જોઇએ. મહત્તમ શરીર ઢંકાય તેવા પાતળા,ઢીલા, વજનમાં હલકાં,સુતરાઉ વસ્ત્રો ખાસ કરીને હળવા રંગના કપડાં પહેરવા અને માથું ઢાંકેલું રાખવુ, છત્રી. ટોપી ટુવાલનો ઉપયોગ કરો.હવાની અવરજવર વાળી અને ઠંડી જગ્યાએ રહેવુ. જેથી સીધો સૂર્યપ્રકાશ અને ગરમીના તરંગો અવરોધિત થાય, તે માટે દિવસ દરમિયાન બારીઓ અને પડદા બંધ રાખવા અને રાત્રે બારીઓ ખોલવી. જો બહાર જવાનું હોય તો આઉટડોર એક્ટિવિટીને દિવસના ઠંડા સમય એટલેકે સવારમા અને સાંજના સમય સુધી મર્યાદિત કરવી અને દિવસના ઠંડા ભાગ દરમિયાન જા આઉટડોર પ્રવૃત્તિઓનુ આયોજન કરવુ.આગામી સમયમા સંભવિત હિટવેવની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લાના નાગરિકોને ઉપરોક્ત તમામ પગલાંઓ અનુસરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.


આ પણ વાંચોઃ Junagadh News: પોલીસનો સપાટો, 190 નશાકારક બોટલો સાથે ઈબ્રાહિમ ઉર્ફે ટીટો ઝડપાયો


  • Follow us on: