અંબાજી શક્તિપીઠ ખાતે ખુબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારે છે, દેશ અને વિદેશમાં વસતા માં અંબાના ભક્તો ઘરે બેઠામાં અંબાનો મોહનથાળ પ્રસાદ, ચીક્કી પ્રસાદ, કુમકુમ, રક્ષાપોટલી અને માતાજીનો ફોટો યુક્ત કીટ અંબાજી મંદિરની વેબસાઈટ www.ambajitemple.in મારફતે ઓનલાઈન મંગાવી શકશે.


અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભારતીય પોસ્ટ વિભાગ સાથે MOU કરવામાં આવેલ છે

વેબ સાઈટ ઉપર ઓર્ડેર કરેલ કીટ પોસ્ટ મારફતે ઘરે બેઠા પ્રાપ્ત કરી શકાશે. ધર્મ, અધ્યાત્મ અને ટેકનોલોજીની સેવાઓમાં અગ્રેસર અંબાજી મંદિર ટ્રસ્ટ ધ્વારા નવીન પહેલ કરવામાં આવેલ છે. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટર શ્રી કૌશિક મોદીના વરદ હસ્તે આજરોજ " અંબાજી પ્રાસાદમ " કીટ વેચાણ અર્થે લોન્ચ કરવામાં આવેલ છે. તા.૧-૧-૨૦૨૬ થી અંબાજી મંદિરની વેબસાઈટ મારફતે માઈભક્તો ઓનલાઈન પ્રસાદ કીટ મંગાવી શકશે તેમ મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

અંબાજી મંદિર પર ચડતી ઘ્વજાને લઇ મહત્વનો નિર્ણય

મંદિર પર 5 મીટર લંબાઈ સુધીની ધજા જ ચડાવી શકાશે, 5 મીટરથી લાંબી ઘ્વજા શિખર પર ચડાવી શકાશે નહીં, 5 મીટરથી લાંબી ઘ્વજા માંના ચરણોમાં કરી શકાશે અર્પણ, વર્ષો જુના ધ્વજ દંડ, સુવર્ણ શિખરની જાળવણી કરાશે અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય

લેવામાં આવ્યો છે.


આ પણ વાંચો : Banaskantha News : 3 જાન્યુઆરી 2026ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરાશે


  • Follow us on: