ભાવનગર શહેરમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં જે મકાન માલિકી ધરાવતા ન હોય અને તે મકાનો માં ભાડુઆત તરીકે રહેતા લોકો સામે મહાનગરપાલિકા દ્વારા ચેકીંગ હાથ ધરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ આવાસ યોજના ઓનાં 320 મકાનો માં જેમાં 115 મકાનો માં ભાડુઆત, 112 બંધ મકાન તેમજ 93 મૂળ લાભાર્થી આ પ્રધાનમંત્રી આવસના મકાનોમાં વસવાટ કરી રહ્યા છે ત્યારે સરેરાશ 55 % જેટલા ભાડુઆત રહેતા હોય અને મકાન માલિક બહાર રહેતા હોય તેવું પણ અધિકારી દ્વારા જણાવેલ હતું. આવા લોકો ને તાત્કાલિક સ્થળ પર નોટિસ આપી અને દિવસ 3 માં મકાન ખાલી કરવા હુકમ કરવામાં આવેલ જો મકાન ખાલી નહિ કરે તો મહાનગરપાલિકા દ્વારા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે


મકાનોમાં મહાનગરપાલિકા ની ટીમ દ્વારા ચેકિંગ

ભાવનગર શહેર નાં સુભાષનગર વિસ્તારમાં આવેલ ગોકુલધામ સોસાયટીનાં પ્રધાનમંત્રી આવાસ યોજના, 2548 EWS-1 (320 આવાસ), ટીપી સ્કીમ નંબર-૮, રૂઆ ફા પ્લોટ-૮ માં આવેલ મકાનોમાં મહાનગરપાલિકા ની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરી જે આવાસ યોજના માં મકાન ની માલિકી ન ધરાવતા હોય અને અન્ય ની માલિકીનાં મકાનમાં ભાડુઆત તરીકે રહેતા લોકો ને ઝડપી મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંગે મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજના નાં મકાન માં ભાડુઆત હોય અને માલિક ભાડું ખાતા હોય તેવા લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ત્રણ દિવસમાં ખાલી કરવા હુકમ કરવામાં આવેલ છે તેમ છતાં જો ત્રણ દિવસમાં મકાન માલિક ભાડુઆતને ખાલી નહીં કરાવે તો આવા ચેકિંગ દરમિયાન ઝડપાયેલા આવાસ યોજનાનાં મકાનોને સીલ પણ મારવામાં આવશે. તેમ મહાનગરપાલિકાનાં અધિકારી દ્વારા જણાવ્યું હતું

 320 મકાનોમાં લગભગ 55% જેટલા ભાડુઆત રહેતા હતા

અધિકારીએ વધુ માં જણાવ્યું હતું કે આજે જે ચેકિંગ દરમિયાન સામે આવ્યું છે આ સોસાયટીમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓનાં 320 મકાનોમાં લગભગ 55% જેટલા ભાડુઆત રહેતા હોય અને મકાન માલિક બહાર રહેતા હોય તેવું પણ અધિકારી દ્વારા જણાવેલ હતું. વધુમાં જણાવ્યું હતું કે આવાસ યોજના મકાનનાં લાભાર્થીઓ 7 વર્ષ સુધી ભાડે તેમજ અન્ય ને વેચાણ નથી કરી શકતા જે ને લઈ મહાનગરપાલિકા દ્વારા અધિકારી સહિત 16 કર્મચારીઓ ની અલગ અલગ 4 ટિમો બનાવી ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જેમાં 55 ટકાથી વધુ આવસોમાં મુળ લાભાર્થીઓ એ પોતાના આવસો ભાડા અર્થે આપેલા હતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ભાડે આપેલ લાભાર્થીઓને હાલ 3 દિવસમાં આવાસ ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

સીલ મારવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે

લાભાર્થીઓ પાસે 300નાં બોન્ડ પર લખાણ કરાવવામાં આવશે કે આગામી 7 વર્ષ સુધી કોઈ ને ભાડા પેટે આવાસ નહિ આપવા આવે અને જો આવનાર દિવસોમાં ભાડા માટે આવાસ આપવામાં આવશે તો તે લાભાર્થીનાં આવાસ છે જે તેને સીલ મારવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.અને શહેર નાં અન્ય આવાસ યોજના નું પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જે લોકો એ અન્ય આવાસો પણ કોઈ લાભાર્થી એ ભાડા અર્થે આવાસ આપ્યું હશે તો તેની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું..


આ પણ વાંચો---- Junagadh News: સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત થતા દર્દીના પરિવારે મચાવ્યો હોબાળો, ડૉક્ટરની બેદરકારીથી મોતનો આક્ષેપ


  • Follow us on: