ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભાવનગર રોડ પર એક આઇસર ટ્રક પલટી મારી જતાં એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
નીલગાયનું એક મોટું ટોળું રસ્તા પર આવી જતા અકસ્માત
પ્રાથમિક માહિતી મુજબ, ગરાજીયા ગામનો એક પરિવાર સગાઈનો પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યો હતો, ત્યારે પાલીતાણા-ભાવનગર રોડ પર અચાનક નીલગાયનું એક મોટું ટોળું રસ્તા પર આવી જતાં આઇસરના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી ખાઈ ગઈ હતી.













