બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના મામલે જયરાજ આહિરને જેલભેગો કરવામાં આવ્યો છે. હવે ભાવનગરમા સમસ્ત કોળી સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે યોજાયેલી ન્યાય સભામાં સમસ્ત કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. આ હુમલા માટે જયરાજ આહિર સહિત 14 આરોપીઓ હાલમાં જેલમાં છે. જ્યારે હજી જે લોકો આ ઘટનામાં સંડોવાયેલા હોય તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.


નવનીત બાલધીયાને માર મારવાનો મામલો

ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના ગુનામાં જયરાજ આહિર સહિત 14 આરોપીઓ હાલમાં જેલમાં બંધ છે. આ ઘટનાને લઈને સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરના અક્ષર પાર્ક ખાતે ન્યાય સભા યોજાઈ હતી. મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ન્યાય સભામાં એકઠા થયા હતાં. ઋષિ ભારતી બાપુ પણ હાજર રહ્યાં હતાં. કોળી સમાજ દ્વારા નવનીત બાલધિયાને ન્યાય અપાવવા માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માર મારવા મુદ્દે પોલીસ સ્ટેશનના પીઆઈ અને રાજકીય આગેવાનો સહિત જે પણ લોકો સંડોવાયેલા હોય તેમની સામે કાર્યવાહી કરવાની કોળી સમાજે માગ કરી છે.

આ પણ વાંચોઃ Morbi: પોલીસનો માનવીય અભિગમ, 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 62.63 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો


  • Follow us on: