ભાવનગરના બગદાણા ગામના નવનીત બાલધીયા પર થયેલા મારપીટના મામલે SIT દ્વારા છેલ્લા 16 દિવસથી સતત તપાસ ચાલી રહી છે. આ તપાસ અંતર્ગત હવે વધુ વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.બગદાણા કેસમાં જયરાજ આહિરને SITનું તેડું આવ્યું છે. અને આજે સાંજે 5 વાગે તેને ભાવનગર IG કચેરીએ બોલાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત SITની ટીમે રામભાઈ વાળા અને મહુવા નિવાસી ચેતન સોનીને નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા હતાં. આ કેસમાં વધુ બે શખ્સોની ધરપકડ કરાઈ છે.


બંને આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા

બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હથિયાર પુરા પાડનારા બે શખ્સોની ધરપકડ કરાઈ છે. અજય ભાલીયા અને ઉત્તમ બાંભણિયાની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કૂલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે.

મને કાયદા પર પૂર્ણ ભરોસોઃ જયરાજ આહિર

ભાવનગર આઈજી કચેરીમાં SIT દ્વારા જયરાજ આહિરની પૂછપરછ કરાઈ હતી. સતત ત્રણ કલાલ સુધી જયરાજ આહિરની પુછપરછ કરવામાં આવી હતી. બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાનો જયરાજ આહિર પર આરોપ છે. જયરાજ આહિરે કહ્યું હતું કે, મેં એસઆઈટીના તમામ સવાલોના જવાબ આપ્યા છે. મને કાયદા પર સંપૂર્ણ ભરોસો છે. મારૂ વધુ નિવેદન લેવા માટે ભવિષ્યમાં બોલાવશે તો પણ હું આવીશ.


આ પણ વાંચોઃ Ahmedabad News : આસારામ આશ્રમના દબાણો દૂર કરાશે, 32 એકમો સરકારી જગ્યા પર ઉભા કરાયા


  • Follow us on: