ગુજરાતમાં હાલમાં ગીર વિસ્તારના સિંહોમાં એક વાયરસને કારણે મોતના કેસ સામે આવી રહ્યાં છે. બીજી બાજુ સિંહોના વિસ્તારની રેન્જ વધતા સિંહ છેક પાલિતાણાના શેત્રુંજય પર્વત સુધી પહોંચી ગયા છે. સોશિયલ મીડિયામાં એવા અનેક વીડિયો જોવા મળતા હોય છે કે, વાંદરો મુસાફરોની બેગ, ચશ્મા કે મોબાઈલ લઈને ભાગી જાય છે. ત્યારે આ પ્રકારનો એક બનાવ પાલીતાણામાં સામે આવ્યો છે. 




સિંહ જોવા મળતા યાત્રિકોએ યાત્રા થંભાવી

ભાવનગર પાસે સ્થિત જૈનોના પાલિતાણા તિર્થમાં શેત્રુંજય પર્વત પર સિંહોનો વસવાટ જોવા મળ્યો છે. આ પર્વત પર યાત્રા કરતાં યાત્રિકોએ અનેક વખત સિંહને જોયો છે. ત્યારે હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જ્યાં ફરીવાર પગથિયા પર ફરી રહેલો એક સિંહ યાત્રિકોને જોવા મળ્યો છે. સિંહ દેખાતા જ યાત્રિકોએ યાત્રી થંભાવી દીધી હતી. આ દરમિયાન એક યાત્રિકની બેગ મોંઢામાં ભરાવીને સિંહ ભાગી ગયો હતો. 

સિંહ દેખાતા યાત્રિકોમાં ફફડાટ જોવા મળ્યો

યાત્રિકોએ વન વિભાગને આ બાબતે જાણ કરતા વન વિભાગે જંગલમાંથી બેગ શોધી કાઢી હતી. વન વિભાગ દ્વારા યાત્રિકની બેગ પેઢીમાં સોંપવામાં આવી હતી. પાલિતાણા તિર્થમાં જતા યાત્રિકોમાં સિંહના વારંવાર દર્શન થતાં ફફડાટ જોવા મળ્યો છે.  

આ પણ વાંચોઃ Modasa અપહરણ કેસ: અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીને છોડાવી


  • Follow us on: