રાજ્ય સરકાર દ્વારા યાત્રા ધામો પર ખાણીપીણીની ગુણવત્તા તપાસવા માટે આદેશ આપવામાં આવ્યા છે. આ અંતર્ગત ડાકોરમાં પણ નગરપાલિકા અને ફુડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 8 વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે વેપારીઓને સ્વચ્છતા રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના આદેશથી ડાકોરમાં પણ ચેકિંગ
ડાકોર નગરપાલિકા તેમજ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ફૂડ વિભાગ દ્વારા મંદિર પરિસર નજીક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મીઠાઇ અને ફરસાણની દુકાનો તેમજ હોટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફુડ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણના સેમ્પલ લેવામાં આવ્યા છે.













