રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સતત ધરતીકંપના આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં નાગરિકોને સાવચેત અને જાગૃત રાખવા માટે ધોરાજી નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા છે.
એક વ્યક્તિને માઇક સાથે વિવિધ વિસ્તારોમાં ફરતા રાખવામાં આવ્યો
આજરોજ ધોરાજી નગરપાલિકા દ્વારા નગરપાલિકાની વાહનમાં એક વ્યક્તિને માઇક સાથે વિવિધ વિસ્તારોમાં ફરતા રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ભૂકંપના આંચકા આવે ત્યારે કઈ પ્રકારની સાવચેતી રાખવી, ઘરમાં કે બહાર કેવી રીતે સુરક્ષિત રહેવું તેમજ અફરાતફરી ન મચાવવાની સૂચનાઓ જાહેર જનતાને આપવામાં આવી હતી.













