દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના સલાયા બંદરે 400થી વધુ માછીમારો હડતાળ પર ઉતર્યા છે. માછીમારોનો આરોપ છે કે ફિશરીઝ વિભાગના અંદાજે 35 જેટલા નિયમોનું યોગ્ય રીતે પાલન થતું નથી, જેના કારણે તેઓ પર અનાવશ્યક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા સીધી કાર્યવાહી કરવામાં આવે છે
માછીમારોનું કહેવું છે કે બોટ માલિકો દ્વારા કેટલાક નિયમોનું પાલન ન થવાથી પોલીસ દ્વારા સીધી કાર્યવાહી કરવામાં આવે છે, જેનાથી સાચા સાગર ખેડુને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે માછીમારોએ તંત્ર સામે કડક વિરોધ નોંધાવ્યો છે.













