ભારતીય પુરાતત્ત્વ વિભાગ (ASI)ની ઉચ્ચસ્તરીય ટીમ દિલ્હીથી દ્વારકા પહોંચી છે. અધિક મહાનિર્દેશક આલોક ત્રિપાઠીના નેતૃત્વમાં ટીમે જગત મંદિર આસપાસનું સર્વેક્ષણ શરૂ કર્યું છે.


દટાયેલા અને મહત્ત્વપૂર્ણ અવશેષોની શોધ માટે ખોદકામ

માહિતી અનુસાર ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચીન નગરી જૂની દ્વારકાના દટાયેલા અને મહત્ત્વપૂર્ણ અવશેષોની શોધ માટે ખોદકામ શરૂ કરવાની તૈયારી કરી છે. આ સમગ્ર પ્રક્રિયામાં મંદિરની આસપાસના વિસ્તારોનું વૈજ્ઞાનીક રીતે સર્વે કરવામાં આવી રહ્યો છે.

ખોદકામ દરમિયાન દરેક અવશેષ અને પુરાવાની નોંધ વિગતવાર લેવામાં આવશે

સ્થળ પર પૂજન-અર્ચન પછી ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. ASIના અધિકારીઓએ જણાવ્યું કે ખોદકામ દરમિયાન દરેક અવશેષ અને પુરાવાની નોંધ વિગતવાર લેવામાં આવશે, જેથી દ્વારકા શહેરના પ્રાચીન ઈતિહાસને અનાવૃત કરવામાં મદદ મળે.


આ પણ વાંચો----    Mumbai Attack: બહાર મોતનો નગ્ન નાચ ચાલતો હતો અને હોસ્પિટલમાં ગોળીબાર વચ્ચે જ્યારે એક નર્સે પ્રસૂતિ કરાવી..આતંકી હુમલાની અંજલીની કહાની

  • Follow us on: