રાજ્યના બાળકો અને તરુણોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા. ૨૪ ડિસેમ્બર,૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતેથી “ટાઈપ-૧ ડાયાબીટીસ (જુવેનાઈલ ડાયાબીટીસ) નિયંત્રણ કાર્યક્રમ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે.
તમામ દર્દીઓને વહેલું નિદાન, સચોટ સારવાર
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ટાઈપ-૧ ડાયાબીટીસ ધરાવતા તમામ દર્દીઓને વહેલું નિદાન, સચોટ સારવાર અને લાંબાગાળાની સંભાળ પૂરી પાડી તેમને કોમ્પ્લીકેશન મુક્ત અને ગુણવત્તાસભર જીવન આપવાનો છે.













