ગાંધીનગરમાં બે દિવસ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં છે. મુખ્યમંત્રીએ આ કોન્ફરન્સમાં પોલીસને ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે, પોલીસ અધિકારીઓએ પ્રજાનો વિશ્વાસ કેળવવો પડશે. જનતા તમારા સુધી નાની નાની માહિતી પહોંચાડશે.
તમારે જનતાનો વિશ્વાસ કેળવવો પડશે
મુખ્યમંત્રીએ આ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીઓને ટકોર કરતાં કહ્યું હતું કે, તમારે જનતાનો વિશ્વાસ કેળવવો પડશે. જનતા જ તમને નાની નાની માહિતી પહોંચાડશે. પ્રજા દ્વારા અપાતી માહિતી જ તમારી સાચી આઈબી છે. જનતાને તમારી પર ભરોસો હશે તો જ તે તમને માહિતી આપશે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસ અધિકારીઓને ટકોર કરતાં કહ્યું હતું કે, જરૂરી નથી કે તમે જે કરો છો એ બેસ્ટ છે.તમારા કરતા બીજા જિલ્લાની પોલીસ સારૂ કામ કરતી હશે.અન્યની સારી વસ્તુઓ આપણે શીખવાની છે.નવી વસ્તુઓ શીખવા ઇગો બહાર મુકીને આવવું પડશે.બધા અધિકારીઓ પાસે બધી આવડત હોય તે જરૂરી નથી













