આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજ અને સરકાર વચ્ચેનો હૃદયથી જોડાયેલો અતૂટ સંબંધ છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ઠાકોર સમાજના યુવાનોનો વિકાસ અને મજબૂત નેતૃત્વ એ સરકારનું મુખ્ય ધ્યેય છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળથી શરૂ થયેલી વિકાસયાત્રા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 'રોકેટ ગતિએ' આગળ વધી રહી છે, જે સમાજના સહયોગ અને આશીર્વાદનું પરિણામ છે.
સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઈએ
ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને કિસાન સન્માન નિધિનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, "ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ગંભીર બીમારીમાં સીધી મદદ મળે તેવા કાર્યો પહેલા માત્ર સપના સમાન હતા, જે આજે વાસ્તવિકતા બન્યા છે." તેમણે અપીલ કરી હતી કે, છેવાડાનો કોઈ પણ પરિવાર આ યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તેની જવાબદારી સમાજના અગ્રણીઓની છે.













