ગુજરાતમાં ફરી અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો છે. ગુજરાત સરકારના વહિવટી વિભાગ દ્વારા બે IAS અધિકારીઓની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. રાજ્યમાં મહત્વપૂર્ણ વહિવટી ફેરફારો કરવામાં આવ્યા છે. સુરત મહાનગર પાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની બદલી કરીને તેમને GUVNLના MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.














